કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા પવિત્ર આત્માના મોક્ષાર્થે અને વૃધ્ધાશ્રમના લાભાર્થે હરિ ૐ વૃધ્ધાશ્રમ જેતપુર નવાગઢ ખાતે શ્રીમદ્ ભાગવત કથા નું આયોજન

હિન્દ ન્યુઝ, જેતપુર

         આથી જ્ઞાતિબંધુને જણાવતા આનંદ થાય છે કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા પવિત્ર આત્માના મોક્ષાર્થે અને વૃધ્ધાશ્રમના લાભાર્થે હરિ ૐ વૃધ્ધાશ્રમ જેતપુર નવાગઢ ખાતે શ્રીમદ્ ભાગવત કથા તા. ૨૨-૦૫-૨૦૨૨ થી તા.૨૯-૦૫-૨૦૨૨ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર આચાર્ય શ્રી રમેશભાઈ મહેતા અમેરિકાવાળા કથાનું રસપાન કરાવશે. તેમા કથાના પ્રથમ દિવસે એટલે કે તા.૨૨-૦૫-૨૦૨૨ ને રવિવારના રોજ સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તો સમૂહ લગ્નમાં જોડાવા માંગતા જ્ઞાતિબંધુ વહેલી તકે ફોમૅમા આપેલ નંબર પર સંપર્ક કરી ને લગ્ન નોંધણી માટે રૂબરૂ હરિ ૐ વૃધ્ધાશ્રમ ખાતે આવવાનું રહેશે તથા ભાગવત સપ્તાહમાં જેમને પોથી પાટલા નોંધાવવા હોય તેમણે આપેલ નામ અને નંબર પર વહેલી તકે સંપર્ક કરશો.

ભૂપતભાઈ એચ. મહેતા રાજકોટ
મો. નંબર 9824555030

સી. વી. જોશી, વિસાવદર
મો. નંબર. 9426933655

અજયભાઈ બી. તેરૈયા જુનાગઢ
મો. નંબર 7878022895

નિલેશભાઈ કે. જોશી વૃધ્ધાશ્રમ જેતપુર
મો. નંબર 9825532558 તથા 8128332558

તો સમૂહલગ્નોત્સવમાં જોડાવા માટે વૃધ્ધાશ્રમ જેતપુર ખાતે વહેલી તકે સંપર્ક કરશો.

Related posts

Leave a Comment